Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આમોદના સરભાણ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ

આમોદ તાલુકાનાં સરભાણ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો

X

આમોદ તાલુકાનાં સરભાણ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો
ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ગામે માલિની કિશોર સંઘવી હોસ્પિટલ તેમજ સાર્વજનિક હોસ્પિટલ સરભાણ દ્વારા સરભાણ ગામે ૧૩ ફેબ્રુઆરી થી ૧૭મી ફેબ્રુઆરી પાંચ દિવસ સુધી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી. કે. સ્વામીએ દીપ પ્રાગટય કરી કેમ્પની શરૂઆત કરાવી હતી.તેમજ સેવા આપવા માટે આવેલા તબીબોનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.સર્વ રોગ નિદાન કેમ્પમાં સુમેરૂ નવકાર તીર્થ મિયાંગામ કરજણના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી.આ કેમ્પમાં હોમિયોપેથીક,એલોપેથીક તેમજ આંખ, કાન, નાક,ચામડી તેમજ બાળકોના સ્પેશિયલીસ્ટ તબીબો હાજર રહી તેમની સેવાઓ આપી હતી.આ કાર્યક્રમ પ્રસંગે આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલ,તાલુકા ભાજપ મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી,કિસાન મોરચાના આગેવાન અશોક પટેલ,યુવા મોરચા પ્રમુખ વિરાજસિંહ રાજ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Next Story