ભરૂચ : કોરોનાની મહામારી ઘટતા હવે વર્ગખંડમાં શિક્ષણ આપવા શાળા સંચાલકો મક્કમ
ધોરણ 9 થી 12 ના વર્ગો ચાલુ કરવા હતી માંગ, રાજય સરકારે 50% હાજરી સાથે વર્ગો ચાલુ કરવા આપી મંજૂરી.
રાજ્ય સરકારે ધોરણ 9 થી 12ના વર્ગો ચાલુ કરવાની શાળા સંચાલકોની માંગણીનો સ્વીકાર કર્યો છે. શાળાઓ હવે 50 ટકા હાજરી સાથે વર્ગો ચાલુ કરી શકશે. વાલીઓ અને વિદ્યાર્થીઓની મૂંજવાનોનું નિરાકરણ લાવવા કનેક્ટ ગુજરાતે શિક્ષણવિદ્દ રાજન પટેલ સાથે સીધી વાત ચિત કરી હતી.
કોરોના મહામારીના કારણે ગયા વર્ષે માર્ચ મહીનામાં કેસો વધતાં શાળાઓ બંધ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. હવે કોરોના કેસોમાં ઘટાડો થતાં રાજ્ય સરકાર ફરીથી શાળાઓને ધોરણ 9 થી 12 માટે 50 ટકા હાજરી સાથે વર્ગ ખંડો શરૂ કરવાની મંજૂરી આપી દીધી. ત્યારે દોઢ વર્ષથી સૂમસાન ભાસી રહેલા વર્ગ ખંડો ફરીથી વિદ્યાર્થીઓની કિકયારીઓથી ગુંજી ઉઠશે. જોકે, બીજી લહેરમાં કેસોમાં ઘટાડો થતાં શાળાઓ શરૂ કરવા અનેક વાર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને રજૂઆતો પણ કરવામાં આવી હતી. ત્યારે સરકારે તેમની માંગણીઓને સ્વીકારતા ફરી શાળાઓ નિયમો સાથે શરૂ કરવા મંજૂરી આપી છે. ભરૂચ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ રાજન પટેલ સાથે કનેક્ટ ગુજરાતે ખાસ વાતચીત કરી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT