ભરૂચ: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર નિર્માણ પામશે શ્રી શ્યામ મંદિર, ભૂમિપૂજન કરાયુ

અંકલેશ્વર નજીક હાઇવે પર શ્રી શ્યામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે જેના ભાગરૂપે મંદિરના નિર્માણ કાર્યનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર નિર્માણ પામશે શ્રી શ્યામ મંદિર, ભૂમિપૂજન કરાયુ

અંકલેશ્વર નજીક હાઇવે પર શ્રી શ્યામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે જેના ભાગરૂપે મંદિરના નિર્માણ કાર્યનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર એરપોર્ટ સામે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શ્રી શ્યામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.આ ભવ્ય મંદિરના નિર્માણ અર્થે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ સતત કાર્યશીલ રહ્યું છે ત્યારે 24મી એપ્રિલના રોજ શુભ મુહૂર્તમાં મંદિરના કાર્યનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવના મોહનદાસજી મહારાજ અને વિજયકુમાર અગ્રવાલના હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું આ પ્રસંગે અંકલેશ્વર ભરૂચ અને સુરતથી મોટી સંખ્યામાં શ્યામ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના આનંદ ગોયલે જણાવ્યું હતું કે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે જેમાં શ્યામ બાબા દરબાર,સાલાસર બાલાજી મહારાજ અને માં અંબા શિવ પરિવાર સાથે મંદિરમાં બિરાજીત થશે.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે
Latest Stories