Connect Gujarat
ભરૂચ

ભરૂચ:નર્મદા નદીમાં પૂર આવતાની સાથે સાયરન વાગશે, જુઓ તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઇ-રેવા સિસ્ટમ શું છે

નર્મદા ડેમમાંથી છોડવામાં આવતાં પાણીના કારણે ભરૂચમાં પુરની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે નદીમાં આવતાં પુરની આગોતરી જાણકારી માટે ઇ-રેવા સીસ્ટમ શરૂ કરવામાં આવી છે

X

નર્મદા ડેમમાંથી છોડવામાં આવતાં પાણીના કારણે ભરૂચમાં પુરની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે નદીમાં આવતાં પુરની આગોતરી જાણકારી માટે ઇ-રેવા સીસ્ટમ શરૂ કરવામાં આવી છે

ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. ડેમમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે નદી ભયજનક સપાટી વટાવી જતી હોય છે.ગત વર્ષે પણ ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાયા બાદ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતાં ભરૂચમાં પુર આવ્યું હતું. પુરના પાણી ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં હોય છે. નર્મદા નદીમાં આવતાં પુરની આગોતરી જાણકારી મળી રહે તે માટે ઇ- રેવા સીસ્ટમનું લોકાર્પણ કરાયું છે.

ફલડ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એપ્લિકેશન, અર્લી વોર્નિંગ સીસ્ટમ એપ્લીકેશન અંતર્ગત સમગ્ર જિલ્લાના પુર, ભારે વરસાદ જેવી આપત્તીઓથી અસરગ્રસ્ત વિસ્તારોને એક જ પ્લેટફોર્મ ઉપર આવરી લેવામાં આવશે. પૂરથી આવનારી આપત્તિ સામે પહેલેથી જ રાહત અને બચાવની કામગીરી કરી શકાશે. આ સીસ્ટમ અંતર્ગત ગોલ્ડનબ્રિજ સહિતના 5 સ્થળોએ પુરના સમયે સાયરન વાગશે જેના કારણે લોકો સતર્ક બની શકશે.

Next Story