ભરૂચ: ખરચ ગામ સ્થિત દત્તાશ્રય ખાતે ઔદીચ્ય સેવા સમાજ રાંદેરનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચના હાંસોટના ખરચ ગામ સ્થિત દત્તાશ્રય ખાતે ઔદીચ્ય સેવા સમાજ રાંદેરના સ્નેહમિલન સમારોહ અને વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: ખરચ ગામ સ્થિત દત્તાશ્રય ખાતે ઔદીચ્ય સેવા સમાજ રાંદેરનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચના હાંસોટના ખરચ ગામ સ્થિત દત્તાશ્રય ખાતે ઔદીચ્ય સેવા સમાજ રાંદેરના સ્નેહમિલન સમારોહ અને વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના હાંસોટના ખરચ ગામે આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે ઔદીચ્ય સેવા સમાજ રાંદેરના સ્નેહ મિલન સમારોહ અને વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તપોધન બ્રહ્મસમાજના મુકુંદ રાવળ,પાલવાડા સમાજના મંત્રી ગૌતમ ઉપાધ્યાય,સુરત ઔદીચ્ય સહસ્ત્ર ઉન્નતિ સમાજના મંત્રી તારક શુક્લ, ઔદીચ્ય સેવા સમાજના ઉપપ્રમુખ સમીર વ્યાસ, રાજન ભટ્ટ, દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન ભટ્ટ,મનન ભટ્ટ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજ દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી તો સાથે જ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે ભગવાન દત્તની સમૂહ આરતીમાં ઉપસ્થિતો ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશ ભટ્ટે કર્યું હતું.

Read the Next Article

અંકલેશ્વરની એસ વી ઈ એમ ગુજરાતી માધ્યમ શાળામાં વિશ્વ યોગ દિનની ONE EARTH ONE HEALTH  થીમ અંતર્ગત ઉજવણી

વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આપણા ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો. જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો 

New Update
svem school ankleshwar
અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ વી ઈ એમ ગુજરાતી માધ્યમ શાળામાં તારીખ 21 જૂન 2025 ને શનિવારના રોજ પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગમાં 11માં વિશ્વ યોગ દિનની ONE EARTH ONE HEALTH  થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતા રીંડાણીની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ શાળાના યોગ શિક્ષિકા ભામીની ભરડીવાળાના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી વિવિધ યોગાસન,પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આપણા ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો.
જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો  હતો. આથી તારીખ 21 જૂન 2015 થી આજ દિન સુધી દર વર્ષે શાળામાં શુભાશય સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી કરી યોગઃ કર્મસુ કૌશલમ્ આ વાક્યને ચરિતાર્થ કરવામાં આવ્યું હતું.સાથે વિશ્વ સંગીત દિવસની ઉજવણી પણ શાળાના સંગીત શિક્ષક કરણ ભટારા દ્વારા વિદ્યાર્થીઓને સંગીતની સમજ સાથે સુર, તાલ, લયના સથવારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
Latest Stories