ભરૂચ : વેડચ-ઉબેર માર્ગ પર ભરાયેલા વરસાદી પાણીમાં એસટી. બસ ફસાઇ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા...

ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જંબુસર તાલુકામાં વરસેલા ભારે વરસાદના પગલે રોડા ઉપર પાણી ફરી વળ્યા છે.

New Update
ભરૂચ : વેડચ-ઉબેર માર્ગ પર ભરાયેલા વરસાદી પાણીમાં એસટી. બસ ફસાઇ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા...

ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જંબુસર તાલુકામાં વરસેલા ભારે વરસાદના પગલે રોડા ઉપર પાણી ફરી વળ્યા છે. જેમાં કંબોઇથી બદલપુરા જતી એસટી. બસ વેડચ અને ઉબેર ગામ વચ્ચે રોડ ઉપર ભરાયેલા પાણીમાં ફસાઇ જવા પામી હતી.

જંબુસરના કંબોઈથી બદલપુર જતી એસટી. બસ વેડચ અને ઉબેર ગામ વચ્ચે ભરાયેલા વરસાદી પાણીમાં ફસાઈ જતા બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પાણીમાં ફસાયા બાદ એસટી. બસનું એક તરફનું વ્હીલ ખાડામાં ઉતરી જતા બસ નમી પડી હતી. તો બીજી તરફ, પાણી વચ્ચે જ જીવના જોખમે મુસાફરોએ એસટી. બસમાંથી ઉતરી હેમખેમ રીતે બહાર નીકળ્યા હતા. 

જોકે, સદનસીબે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સહીસલામત રહ્યા હતા. બસના ચાલક દ્વારા પાણીમાં ફસાયેલ બસને બહાર કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ કોઇપણ રીતે બસ બહાર નહીં નિકળતા આખરે ટ્રેક્ટરની મદદથી દોરડું બાંધી બસને ખેંચીને બહાર કાઢવાના પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા. જેથી બસના ચાલક અને કંડક્ટરે ડેપો મેનેજરને ઘટનાની જાણ કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.