Connect Gujarat
ભરૂચ

ભરૂચ : PM મોદીના કાર્યક્રમ માટે રાજ્યભરની એસટી. બસો ફાળવાતા સતત બીજા દિવસે પણ મુસાફરોને હાલાકી...

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં રાજ્યભરમાંથી એસટી. બસો ફાળવવામાં આવી છે,

X

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં રાજ્યભરમાંથી એસટી. બસો ફાળવવામાં આવી છે, ત્યારે એસટી. બસના અભાવે ભરૂચના ભોલાવ એસટી. ડેપો ખાતે વિદ્યાર્થીઓ સહિત મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દીવસના પ્રવાસે છે, ત્યારે તેઓના કાર્યક્રમને લઇ એસટી. વિભાગ દ્વારા રાજ્યભરમાંથી એસટી. બસો PM મોદીના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવી છે, ત્યારે એસટી. બસના અભાવે ગતરોજ અંકલેશ્વર એસટી. ડેપો ખાતે ઘણા મુસાફરો પરેશાન થઈ ઉઠ્યા હતા. તેવામાં આજે સતત બીજા દિવસે ભરૂચના ભોલાવ એસટી. ડેપો ખાતે વિદ્યાર્થીઓ સહિત મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં રાજ્યભરની એસટી. બસો ફાળવવામાં આવી છે. જેને પગલે ભરૂચ શહેર તથા જિલ્લાના વિવિધ રૂટ પર દોડતી એસટી. બસના અભાવે મુસાફરો સહિત વિદ્યાર્થીઓને કલાકો સુધી બસની રાહ જોઈ તપસ્યા કરવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ, એસટી. બસો સરકારી કાર્યક્રમમાં ફાળવી દેવાતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.

Next Story