ભરૂચ: મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

ભરૂચ-અંકલેશ્વર શહેરના અલગ-અલગ સ્થળોએથી ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે ભરુચ એ ડિવિઝન પોલીસે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો હતો.

New Update
ભરૂચ: મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

ભરૂચ-અંકલેશ્વર શહેરના અલગ-અલગ સ્થળોએથી ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે ભરુચ એ ડિવિઝન પોલીસે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો હતો. ગત તારીખ-29મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ શહેરના ફલશ્રુતીનગરમાં આવેલ વિશ્વાસ ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતેથી કોઈ ઈસમ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે અંગેની પોલીસ ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી.જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આવા બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માટે ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વી.યુ ગડરીયા સહિત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે ચોરીના ચાર-પાંચ મોબાઇલ લઈ એક ઈસમ BSNL ટેલીફોન એકસેન્જ પાસે વેચાણ કરવા ફરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મૂળ ભીડ ભંજનની ખાડી તેમજ હાલ ફાટા તળાવ વૈરાગીવાડ સ્થિત ચંદ્રિકાબેનની ચાલમાં રહેતો મુકેશ ઉર્ફે ભગો રમણભાઇ વસાવાને ઝડપી પાડી તેની પાસેથી પાંચ જેટલા મોબાઈલ ફોન મળી કુલ 30 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી 9 જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.
Latest Stories