ભરૂચ : મણિપુરમાં 2 મહિલાઓ સાથેના જઘન્ય કૃત્યનો મામલો, જે.પી.કોલેજના વિદ્યાર્થી સમૂહ દ્વારા રેલી યોજી તંત્રને આવેદન અપાયું...

ગત તા. 3 મેના રોજ આધુનિક હથિયારોથી સજ્જ હજારો લોકોએ હુમલો કર્યો હતો. આ લોકોએ ગામમાં લૂંટફાટ કરવાની સાથે આગચંપી કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

New Update
ભરૂચ : મણિપુરમાં 2 મહિલાઓ સાથેના જઘન્ય કૃત્યનો મામલો, જે.પી.કોલેજના વિદ્યાર્થી સમૂહ દ્વારા રેલી યોજી તંત્રને આવેદન અપાયું...

દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ચાલી રહેલી હિંસા તેમજ મહિલાઓ સાથે થતાં જઘન્ય કૃત્યના વિરોધમાં ભરૂચ શહેરની જે.પી.કોલેજના વિદ્યાર્થી સમૂહ દ્વારા રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

મણિપુરના થોભલ જિલ્લામાં ગત તા. 3 મેના રોજ આધુનિક હથિયારોથી સજ્જ હજારો લોકોએ હુમલો કર્યો હતો. આ લોકોએ ગામમાં લૂંટફાટ કરવાની સાથે આગચંપી કરવાનું પણ શરૂ કરી દીધું હતું. આવી સ્થિતિમાં 2 મહિલાઓ અને યુવતી પોતાના પિતા અને ભાઈ સાથે જંગલ તરફ ભાગ્યા હતા. જોકે, મહિલાઓ જ્યાં સુધી પોલીસ ચોકી પહોંચે તે પહેલા જ ભીડે ઝડપી પાડી હતી. તે બાદ પ્રદર્શનકારીઓએ યુવતીના પિતાની સ્થળ પર જ હત્યા કરી નાખી હતી. મહિલાઓને બળજબરીપૂર્વક લઈ જઈ ભીડ સામે નિર્વસ્ત્ર અવસ્થામાં ચાલવા માટે મજબૂર કરાય હતી. યુવતી સાથે ખુલ્લેઆમ સામુહિક દુષ્કર્મનું હીન કૃત્યુ આચરાયું હતું. જેનો યૌન ઉત્પીડનનો એક ભયાવહ વીડિયો સામે આવ્યા આવતા દેશભરમાં આ નિંદનીય ઘટનાના ઘેરા પડઘા વાગી રહ્યા છે. આ ઘટના માં તમામ કસૂરવારોને ફાંસીની સજા થાય તેવી માંગ ઉઠવા પામી છે, ત્યારે ભરૂચની જે.પી.કોલેજના વિદ્યાર્થીઓ સમૂહ દ્વારા પણ આ ઘટનાને અંજામ આપનાર તમામ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે કોલેજ પરિસરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાય હતી, જ્યાં દેશના રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી વિદ્યાર્થીઓ સમૂહ દ્વારા કસૂરવારોને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમ્યાન વિદ્યાર્થી સમૂહના નકુલ સોલંકી, કેયુર મકવાણા, પરમાર સુનિલ, રાજુ ભરવાડ, તોફિયા શબનમ, પટેલ અબ્દુલ રહમાન, સુનિલ જહાંગીર સહિતના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.