Connect Gujarat
ભરૂચ

ભરૂચ : લગ્નપ્રસંગે બહારગામ ગયેલા ઘોળીકુઈ-ગોલવાડમાં રહેતા પરિવાનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને

ઘોળીકુઈ વિસ્તારમાં આવેલ ગોલવાડ સ્થિત બહુચરાજી મંદીરની બાજુમાં 3 દિવસથી બહારગામ ગયેલ પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

X

ભરૂચ શહેરના ઘોળીકુઈ વિસ્તારમાં આવેલ ગોલવાડ સ્થિત બહુચરાજી મંદીરની બાજુમાં 3 દિવસથી બહારગામ ગયેલ પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં થોડા સમયથી તસ્કરો સક્રિય થઈને અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે ગતરોજ રાત્રીના તસ્કરોએ વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ભરૂચના ઘોળીકુઈ વિસ્તારમાં આવેલ ગોલવાડ સ્થિત બહુચરાજી મંદીરની બાજુમાં રહેતા જીવન રાવલ 3 દિવસથી પરિવાર સાથે લગ્ન પ્રસંગ હોવાથી મકાન બંધ કરીને બહારગામ ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં બેડરૂમમાં રહેલી તિજોરી તોડી તેમાંથી 10થી 15 હજાર રૂપિયાની રોકડ રકમ અને સોનાની એક જોડી બુટ્ટી મળી કુલ રૂ. 50 હજારથી વધુના મત્તા પર હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા, જ્યારે પરિવાર લગ્ન પ્રસંગ પતાવી પરત આવ્યો, ત્યારે મકનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ભરૂચ એ’ ડીવીઝન પોલીસ મથકે ચોરી અંગે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story