ભરૂચ : મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે સમસ્ત મુસ્લિમ સમાજનો વિરોધ...

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર આપ્યું હતું.

New Update
ભરૂચ : મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે સમસ્ત મુસ્લિમ સમાજનો વિરોધ...

કેન્દ્ર સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન નામની સંસ્થાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના વિરોધમાં ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી નિર્ણય રદ્દ કરવાની માંગ કરી હતી.

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જે નિર્ણયથી લધુમતી અને મુસ્લીમ સમાજના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક પ્રગતિ રોકાય તેવી શક્યતાઓ રહેલી છે. મૌલાના આઝાદ ફાઉન્ડેશનની રચના દ્વારા લધુમતી સમુદાય લોકો સાથે મુસ્લીમ સમાજના વિદ્યાર્થીઓનો સમયાંતરે શૈક્ષણીક વિકાસ થાય તે હેતુથી આ ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની દેશના અનેક મુસ્લીમ વિદ્યાર્થીઓએ પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવ્યુ છે. આ કાઉન્ડેશન મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ છે. જેથી આ ફાઉન્ડેશનને બંધ કરવાનો નિર્ણય એ આજના આધુનિક યુગમાં મુસ્લીમ સમુદાયના યુવાનો-યુવતીઓ પોતાના શૈક્ષણીક લક્ષ્યને પામવામાં પાછળ રહી જાય તેવી ભીતી છે. આ ફાઉન્ડેશનથી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શિષ્યવૃત્તી પણ મેળવી રહ્યા છે, ત્યારે મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જે નિર્ણયથી સમસ્ત મુસ્લીમ સમાજ આધાતની લાગણી અનુભવી રહ્યો છે. જેથી મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાના આદેશને તાત્કાલિક રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.