Connect Gujarat
ભરૂચ

ભરૂચ : લાઈટ ખરીદીમાં પાલિકાએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો વિપક્ષનો આક્ષેપ, હોબાળા બાદ રાતોરાત લાઇટો ઉતારી લેવાય...

નગરપાલિકા હર હંમેશા ભ્રષ્ટાચાર મુદ્દે વિવાદમાં રહેતું હોય છે, ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટોથી માંડી વિસ્તારોની લાઇટો પણ છેલ્લા 2 મહિનાથી બંધ રહી છે.

X

ભરૂચ શહેર છેલ્લા 2 મહિનાથી અંધારપટમાં ફેરવાઈ ગયું છે. જોકે, પાલિકા લાઈટો ખરીદી કરવામાં આવી, પરંતુ લાઈટની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે વિવાદ ઉભો થતા વિવિધ વિસ્તારોમાં લગાવાયેલી લાઈટો પાલિકાએ ઉતારી લીધી હતી, જે લાઈટોને લાઇટ કમિટી ચેરમેનની કેબિનમાં જ સંતાડી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

ભરૂચ નગરપાલિકા હર હંમેશા ભ્રષ્ટાચાર મુદ્દે વિવાદમાં રહેતું હોય છે, ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટોથી માંડી વિસ્તારોની લાઇટો પણ છેલ્લા 2 મહિનાથી બંધ રહી છે. જેના કારણે શહેરભરમાં અંધારપટ છવાયો છે. ભરૂચ નગરપાલિકામાં લાઈટોના અભાવે કેટલાય વિસ્તારોની સ્ટ્રીટ લાઈટો બંધ રહી હતી, અને મોટી માત્રામાં લાઈટ કમિટી વિભાગમાં લોકોની ફરિયાદ નોંધાય હતી, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા રૂપિયા 825ની જગ્યાએ 1250 રૂપિયાની લાઇટીની ખરીદી કરવામાં આવી હોવાના અને લાઈટ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

જોકે, નવી લાઈટો લગાવ્યા બાદ ભ્રષ્ટાચારની બૂમો ઉઠતા પાલિકા દ્વારા લાઈટો તરત ઉતારી લેવામાં આવી હતી. એટલું જ નહીં, ઉતારેલી લાઈટોને લાઈટ કમિટી ચેરમેનની કેબિનમાં છુપાવી હોવાનો પણ પાલિકાના વિપક્ષે આક્ષેપ કર્યો હતો. એક તરફ ભરૂચ શહેરમાં અંધારપટ છવાયો છે, તો બીજી તરફ લાઈટ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે વિપક્ષોએ ભરૂચ નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. જેમાં કોઈપણ સ્થળે લાઇટ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હશે તો કર્મચારી સાથે પગલાં ભરવામાં આવશે તેવી બાહેધરી સાથે પાલિકાના પ્રમુખે તપાસ કરવામાં આવશે તેવું નિવેદન રજૂ કર્યું હતું.

Next Story