ભરૂચ : ઓમકારનાથ હોલ ખાતે સાતમા તબક્કાનું સેવા-સેતુનો કાર્યક્રમ યોજાયો

દુષ્યંતપટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી

New Update
ભરૂચ : ઓમકારનાથ હોલ ખાતે સાતમા તબક્કાનું સેવા-સેતુનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ શહેરના વોર્ડ નંબર 3 અને 4ની જનતા માટે ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય વ્યાપી હાથ ધરાયેલા "સેવા-સેતૂ કાર્યક્રમ અંતર્ગત" ભરૂચ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 અને 4 માટે શહેરના ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંતપટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને જનતાને સેવાસેતુના કાર્યક્રમોનું મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી શકે તે માટે સરકાર દ્વારા સેવાસેતુના સાતમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સેવાસેતુનો કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. આ સેવાસેતુના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, વોર્ડ નંબર 3 અને 4ના નગરપાલિકાના સભ્યો સહિત વહીવટીતંત્ર અને નગરપાલિકાની ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનવાનો પ્રયાસ કર્યો હતો.

Latest Stories