ભરૂચ: વાગરામાં આવેલ શૌર્યયાત્રા કોમી એખલાસ તેમજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આયોજિત શૌર્ય યાત્રાવાગરાના ખડ ખંડાલી ગામે આવી પહોંચતા સાજીદ ભટ્ટી ઉર્ફે સાજભા દ્વારા ફુલહાર કરી યાત્રાનું સ્વાગત કરાયુ

New Update
ભરૂચ: વાગરામાં આવેલ શૌર્યયાત્રા કોમી એખલાસ તેમજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળની કેન્દ્રીય યોજના પ્રમાણે હિન્દુ યુવાનોમાં પોતાના પૂર્વજોના પરાક્રમનું ગૌરવ થાય તેમજ સાંસ્કૃતિક ધરોહરો તથા હિન્દુઓના ગૌરવશાલી ઇતિહાસ પ્રત્યે હિન્દુઓનું શૌર્ય જાગૃત થાય તે હેતુથી શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરાયુ છે.જે યાત્રા ભારતભરમાં દરેક જિલ્લા સ્તર પર ફરશે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ શૌર્ય જાગરણ યાત્રા યોજાઇ હતી.

Advertisment

બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આયોજિત શૌર્ય યાત્રાવાગરાના ખડ ખંડાલી ગામે આવી પહોંચતા સાજીદ ભટ્ટી ઉર્ફે સાજભા દ્વારા ફુલહાર કરી યાત્રાનું સ્વાગત કરાયુ હતુ.ત્યારબાદ વાગરા નગર ખાતે યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પરિભ્રમણ કરી આગળ ધપી હતી.જે પહાજ ગામે પહોંચતા વાગરા તાલુકા ભાજપ પ્રમુખ જીતુ સિંધા તેમજ મુસ્લિમ અગ્રણી હમિદ રાણાએ શૌર્યયાત્રા નું સ્વાગત કર્યું હતુ. યાત્રા દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો 

Advertisment
Latest Stories