Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધો-10 અને 12ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ ખાતે ધો-10 અને 12ના તેજસ્વી તારલાઓ માટે વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ ખાતે ધો-10 અને 12ના તેજસ્વી તારલાઓ માટે વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત માર્ચ-2023માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ધો-10 અને 12 ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયાતોથી કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિવિધ વક્તાઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. જ બાદ છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. નિવૃત્ત આચાર્ય ઇકબાલ ભાઈએ ટ્રસ્ટના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના આયોજન માટે ઉમદા મહેનત કરનાર નામી અનામી સ્નેહી આગેવાનો ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલ પાદરવાલાનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. સમાજનું નામ રોશન કરનારને બિરદાવી દરેક ક્ષેત્રે વધુમાં વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ડો. નસરીન પટેલ, ડો. આદમ સાહેબ ટંકારવી બોલ્ટન, ઈમ્પિયાઝ પટેલ, ડો. નશરીન ફારૂક અબ્દુલ્લાહ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story