ભરૂચ : જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 37 કેન્દ્રો પર 11 હજારથી વધુ પરીક્ષાર્થીઓની પરીક્ષા

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા નવ એપ્રિલે બપોરે 12:30થી 1:30 દરમિયાન યોજાનાર છે.

New Update
ભરૂચ : જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 37 કેન્દ્રો પર 11 હજારથી વધુ પરીક્ષાર્થીઓની પરીક્ષા

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ભરૂચ જિલ્લાના 37 પરીક્ષા કેન્દ્રો પર વિડિયોગ્રાફી સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે 11 હજારથી વધુ પરીક્ષાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી રહ્યા છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા નવ એપ્રિલે બપોરે 12:30થી 1:30 દરમિયાન યોજાનાર છે. રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે પરીક્ષાને લઈને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. જિલ્લાભરના 37 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિડિયોગ્રાફી સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જિલ્લાના 37 પરીક્ષા કેન્દ્રો પર પેપર રવાના કરવામાં આવ્યા હતા. જિલ્લાભરના 37 કેન્દ્રો પર 11 હજારથી વધુ પરીક્ષાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 1400થી વધુ કર્મચારીઓ સાથે 170 વધુ પોલીસ કર્મી ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.
Latest Stories