Connect Gujarat
ભરૂચ

ભરૂચ: માતરિયા તળાવની સુંદરતામાં વધારો, 5 ફુવારા લગાવી આકર્ષણ ઉભુ કરાયું

ભરૂચના માતરિયા તળાવની સુંદરતામાં વધારો કરવામાં આવ્યો છે. માતરિયા તળાવમાં 5 ફુવારા લગાવવામાં આવ્યા છે

X

ભરૂચના માતરિયા તળાવની સુંદરતામાં વધારો કરવામાં આવ્યો છે. માતરિયા તળાવમાં 5 ફુવારા લગાવવામાં આવ્યા છે જેનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું॰

ભરૂચના લિન્ક રોડ પર આવેલા માતરિયા તળાવને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે ત્યારે અનેક શહેરીજનો માતરિયા તળાવની મુલાકાત લે છે. દિવાળીના દિવસોમાં માતરિયા તળાવ ખાતે નવું નજરાણું ઉભુ કરવામાં આવ્યું છે. માતરિયા તળાવમાં નગર સેવા સદન દ્વારા 5 ફુવારા લગાવવામાં આવ્યા છે જેનું ગતરોજ ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.માતરિયા તળાવમાં ફુવારા લાગવાના કારણે તેની સુંદરતામાં વધારો થશે

Next Story