Connect Gujarat
ભરૂચ

ભરૂચ:પાંચબત્તીથી શક્તિનાથ સુધીની કામગીરી બુદ્ધદેવ માર્કેટના વેપારીઓ અટકાવી,જુઓ શું કર્યા આક્ષેપ

ભરૂચના પાંચબત્તીથી શક્તિનાથ અન્ડર બ્રીજ સુધીના રોડનું રૂ.ત્રણ કરોડ ખર્ચે નવીનીકરણ કરવામા આવી રહ્યું છે.

X

ભરૂચના પાંચબત્તીથી શક્તિનાથ અન્ડરબ્રીજ સુધીની પેવર બ્લોકની કામગીરી બુદ્ધદેવ માર્કેટના વેપારીઓએ રોડનું લેવલ ઊંચું હોવાથી પાણી ભરાવાની દહેશત સાથે અટકાવી વિરોધ નોંધાવ્યો હતો

ભરૂચના પાંચબત્તીથી શક્તિનાથ અન્ડર બ્રીજ સુધીના રોડનું રૂ.ત્રણ કરોડ ખર્ચે નવીનીકરણ કરવામા આવી રહ્યું છે. ડ્રેનેજ બાદ હવે રોડ પર પેવર બ્લોક બેસાડવાની કામગીરી ચાલી રહી છે.જેનું લેવલ ઊંચું હોવાથી બુદ્ધદેવ માર્કેટમાં પાણીનો ભરાવો થવા સાથે દુકાનોમાં પાણી ભરાશે તેવી દહેશત સાથે દુકાનદારોએ પેવર બ્લોક બેસાડવાની કામગીરી બંધ કરાવી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.પેવર બ્લોક બેસાડવાની કામગીરી દુકાનદારોએ બંધ કરાવતા તંત્ર દોડતું થયું હતું

Next Story