ભરૂચ: માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે હજયાત્રીઓ માટે ટ્રેનીંગ કેમ્પનું આયોજન,600થી વધુ હાજીઓએ લીધો ભાગ

ભરૂચ અને નર્મદા જિલ્લાના હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ ભરૂચની માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો જેમાં અંદાજે 600થી વધુ હાજીએ ભાગ લીધો હતો

New Update
ભરૂચ: માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે હજયાત્રીઓ માટે ટ્રેનીંગ કેમ્પનું આયોજન,600થી વધુ હાજીઓએ લીધો ભાગ

ભરૂચ અને નર્મદા જિલ્લાના હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ ભરૂચની માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો જેમાં અંદાજે 600થી વધુ હાજીએ ભાગ લીધો હતો

Advertisment

ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી ઘણા મુસ્લિમ બિરાદરો હજ પઢવા માટે જવાના છે ત્યારે તેઓએ માટે ભરૂચની માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ટ્રેનિંગ કેમ્પમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઈકબાલભાઈ સૈયદ,ગુજરાત રાજ્ય હજ કમિટીના સભ્ય મુસ્તુફા ખોડા અને માટલીવાલા પબ્લિક સ્કૂલના એડમિનિસ્ટ્રેટર ઈસાક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ ટ્રેનિંગ કેમ્પમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના માસ્ટર ટ્રેનર હનીફ પટેલ અબ્દુલ રાઠોડ અને આલીમ મુફ્તી યુસુફે હજના સફર દરમિયાન ધ્યાનમાં રાખવાની તમામ બાબતો અંગે માહિતી આપી હતી 

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment
Latest Stories