/connect-gujarat/media/post_banners/758e9c9c0621cf7470f74aec2f9ee9d9e7c2e3ea5096fbaf42fed7bc1c4a2d3c.webp)
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નેશનલ હાઇવે નં. 48 પર આવેલ સ્વામિનારાયણ મંદિર નજીક અજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવાર ભાઈ-બહેનને અડફેટે લેતા બહેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના તવાર રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતા અંકિત પ્રજાપતિ પોતાની બહેન ભૂમિકા પ્રજાપતિ સાથે મોટર સાયકલ નં. GJ-16-BC-0749 લઈ નેશનલ હાઇવે નંબર 48 પરથી શાકભાજી માર્કેટ જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી ટ્રક નંબર GJ-14-X-1423ના ચાલકે પુરઝડપે આવી સ્વામિનારાયણ મંદિર નજીકના કટથી સર્વિસ રોડ પર હંકારી બાઇક સવાર ભાઈ-બહેનને અડફેટે લેતા ભાઈ અંકિત પ્રજાપતિને હાથે-પગે ગંભીર ઇજાઓ પોહોંચી હતી, જ્યારે બહેન ભૂમિકા પ્રજાપતિના શરીર પર ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મુકીને ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ સી’ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત અંકુર પ્રજાપતિને સારવાર અર્થે, જ્યારે ભૂમિકા પ્રજાપતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ગુન્હો દાખલ કરી ફરાર ટ્રક ચાલકની શોધખોળ આરંભી છે.