Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડીયાના રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ

ભરૂચના ઝઘડીયાના રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું

X

ભરૂચના ઝઘડીયાના રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સાથે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે જેની ભવ્ય ઉજવણી આજરોજ રાજપારડી ચાર રસ્તા ખાતે કરવામાં આવી હતી અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા.આ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ , સરપંચ કાલિદાસ વસાવા, આગેવાન ઈમ્તિયાઝ અલી સૈયદ સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

Next Story