Connect Gujarat
ભરૂચ

ભરૂચ:રૂંગટા સ્કૂલમાં ધોરણ -9 ને બંધ કરી અચાનક સેલ્ફ ફાઇનાન્સ કરવામાં આવતા વાલીઓનો હોબાળો

ભરૂચ સંસ્કાર ભારતીય ટ્રસ્ટ સંચાલિત રૂંગટા સ્કૂલમાં ધોરણ -9ને બંધ કરી અચાનક સેલ્ફ ફાઇનાન્સ કરવામાં આવતા વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.

X

ભરૂચ સંસ્કાર ભારતીય ટ્રસ્ટ સંચાલિત રૂંગટા સ્કૂલમાં ધોરણ -9ને બંધ કરી અચાનક સેલ્ફ ફાઇનાન્સ કરવામાં આવતા વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.

ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલ સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિધાલય ખાતે આજે સવારે ધોરણ 8 નું રિજલ્ટ લેવા પહોંચેલા વાલીઓ અને વિદ્યાર્થી ઓને શાળા સંચાલકોના એક નિર્ણયે મુંજવણમાં મૂકી દીધા હતા, શાળા સંચાલકોએ રિજલ્ટનું વિતરણ કર્યા બાદ વાલી મિટિંગ યોજી ધોરણ 9ના વર્ગને બંધ કરવાનો નિર્યણ જણાવ્યો હતો, જે બાદ રોષે ભરાયેલ વાલીઓએ શાળાના નિર્યણનો વિરોધ કર્યો હતો તેમજ મામલે જિલ્લા શિક્ષણઅધિકારી સમક્ષ રજુઆત ની તૈયારી બતાવી હતી.ધોરણ 9 ના વર્ગમાં અંદાજીત 77 જેટલાં વિદ્યાર્થી અભ્યાસ માટેની તૈયારીમાં હતા પરંતુ ધોરણ 8નું રિજલ્ટ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓને શાળાનો નિર્ણય ઝાટકા સમાન લાગ્યો હતો અને હવે શાળા વર્ગને ગવર્મેન્ટ ગ્રાન્ટમાંથી સેલ્ફ ફાઇનાન્સ કરવાના નિર્યણ સામે વાલીઓએ શાળા ખાતે દોડી જઈ વિરોધ વ્યક્ત કર્યો હતો તેમજ મુંજવણમાં મુકાયેલ વાલીઓ અને વિદ્યાર્થીઓએ મામલે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરવા માટે પહોંચ્યા હતા

Next Story