ભરૂચ : ગ્લોબલ વોર્મિંગ-ગ્રીન ઈન્ડિયાના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલા ઉતરાખંડના સાયકલિસ્ટનું કરાયું ભવ્ય સ્વાગત

ઉતરાખંડથી સાઇકલ લઈને નીકળેલા સાયકલિસ્ટનું ભરૂચ જીલ્લામાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : ગ્લોબલ વોર્મિંગ-ગ્રીન ઈન્ડિયાના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલા ઉતરાખંડના સાયકલિસ્ટનું કરાયું ભવ્ય સ્વાગત

ઉતરાખંડથી સાઇકલ લઈને નીકળેલા સાયકલિસ્ટનું ભરૂચ જીલ્લામાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગ્લોબલ વોર્મિંગ તથા ગ્રીન ઈન્ડિયાના પ્રચાર-પ્રસાર અર્થે નીકળેલા ઉતરાખંડના સાયકલિસ્ટનું ભરૂચ જીલ્લામાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રા ગત વર્ષ 2022ના મેં માસમાં શરૂ કરવામાં આવી હતી. જે અત્યાર સુધીમાં 4 હજાર કિલોમીટરનું અંતર ખેડી 10 રાજ્ય ફરી ચૂકી છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર, ગોવા અને કન્યાકુમારી સુધી સાયકલિંગ કરી સાયકલિસ્ટ કબીર જોશી દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવશે, ત્યારે ઉતારાખંડના સાયકલિસ્ટ કબીર જોશી ભરૂચ તેમજ અંકલેશ્વર આવી પહોચતા ભરૂચ-અંકલેશ્વરના સાયાકલીસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમની આ સાઇકલ યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories