ભરૂચ : ગ્લોબલ વોર્મિંગ-ગ્રીન ઈન્ડિયાના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલા ઉતરાખંડના સાયકલિસ્ટનું કરાયું ભવ્ય સ્વાગત

ઉતરાખંડથી સાઇકલ લઈને નીકળેલા સાયકલિસ્ટનું ભરૂચ જીલ્લામાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : ગ્લોબલ વોર્મિંગ-ગ્રીન ઈન્ડિયાના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલા ઉતરાખંડના સાયકલિસ્ટનું કરાયું ભવ્ય સ્વાગત

ઉતરાખંડથી સાઇકલ લઈને નીકળેલા સાયકલિસ્ટનું ભરૂચ જીલ્લામાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગ્લોબલ વોર્મિંગ તથા ગ્રીન ઈન્ડિયાના પ્રચાર-પ્રસાર અર્થે નીકળેલા ઉતરાખંડના સાયકલિસ્ટનું ભરૂચ જીલ્લામાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રા ગત વર્ષ 2022ના મેં માસમાં શરૂ કરવામાં આવી હતી. જે અત્યાર સુધીમાં 4 હજાર કિલોમીટરનું અંતર ખેડી 10 રાજ્ય ફરી ચૂકી છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર, ગોવા અને કન્યાકુમારી સુધી સાયકલિંગ કરી સાયકલિસ્ટ કબીર જોશી દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવશે, ત્યારે ઉતારાખંડના સાયકલિસ્ટ કબીર જોશી ભરૂચ તેમજ અંકલેશ્વર આવી પહોચતા ભરૂચ-અંકલેશ્વરના સાયાકલીસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમની આ સાઇકલ યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.