ભરૂચ : "બહુત સુની મન કી બાત, આપ સુનો હમારી બાત"ના નારા સાથે પ્રધ્યાપકોએ ગજવી મુકી સરકારી કોલેજ...

સરકારી ઈજનેરી કોલેજના પ્રધ્યાપકોએ નોંધાવ્યો વિરોધ, રામધૂન બોલાવી બિનશૈક્ષણિક કાર્યના બહિષ્કારની ચીમકી

New Update
ભરૂચ : "બહુત સુની મન કી બાત, આપ સુનો હમારી બાત"ના નારા સાથે પ્રધ્યાપકોએ ગજવી મુકી સરકારી કોલેજ...

ભરૂચની સરકારી ઈજનેરી અને પોલીટેકનિક કોલેજના પ્રધ્યાપકોએ આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે. જેમાં પડતર માંગણીઓ મુદ્દે ત્રીજા પ્રાધ્યાપકોએ "બહુત સુની મનકી બાત, અબ સુનો હમારી બાત"ના ઉગ્ર સુત્રોચ્ચાર સાથે સરકારી કોલેજ સંકુલને ગજવી મૂક્યું હતું.

રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોના વિવિધ પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. આ પ્રશ્નો બાબતે સરકારને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તેમજ મંડળના હોદ્દેદારોની અગ્ર સચિવ, શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીઓની હાજરીમાં શિક્ષણમંત્રી અને નાણામંત્રી સાથે રૂબરૂ મુલાકાતો પણ યોજાય હતી. જોકે, આ દરમ્યાન ડિગ્રી ઈજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોનોનું યોગ્ય નિરાકરણ લાવવા જરૂરી સહમતી દર્શાવ્યા બાદ પણ આજદિન સુધી યોગ્ય ઉકેલ નહીં આવતા તા. 12મી સપ્ટેમ્બરથી રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ આંદોલનના કાર્યક્રમ આપી રહ્યા છે. જે અંતર્ગત ભરૂચની સરકારી ઈજનેરી કોલેજ ખાતે આંદોલનને આગળ ધપાવવામાં આવ્યું છે. જોકે, આંદોલનના ત્રીજા તબક્કામાં તા. 23 સપ્ટેમ્બરથી પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે ત્યાં સુધી તમામ બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કરવામાં આવનાર છે. આ સાથે જ કોલેજ પરિસરમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સહિત રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Latest Stories