ભરૂચ: ભાજપ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયુ, મનસુખ વસાવાને રેકોર્ડ લીડથી જીતાડવા આહવાહન

ભાજપ કાર્યકરોનું સંમેલન ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું...

New Update
ભરૂચ: ભાજપ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયુ, મનસુખ વસાવાને રેકોર્ડ લીડથી જીતાડવા આહવાહન

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકરોનું સંમેલન ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ વખતે આપ કે ઇન્ડિ ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર ભરૂચમાં હોવાનું કાર્યકરોને કહ્યું હતું. તેની ચૂંટણી લડવાની ખો ભુલાવી, ડિપોઝીટ જમા કરાવવા સાથે લીડનો રેકોર્ડ કરવાની તક ને ઝડપી લઈ દેડિયાપાડા બેઠકની હારનો હિસાબ સરભર કરવા આહવાન કરાયું હતું.સભાખંડમાં ભાજપના કાર્યકરોને મતોનું ગણિત, જીતનું મૂલ્ય અને ગણતરી પણ પ્રદેશ પ્રમુખે સમજાવી હતી. તો ભરૂચની લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો 6 ટર્મથી સતત જીતતા મનસુખ વસાવાને સી.આર. પાટીલે ગણાવ્યા હતા.ભરૂચ લોકસભા બેઠકના કાર્યકર સંમેલનમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રભારી અશોક પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેસંગ ગોહિલ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્યો, શહેર, તાલુકા પ્રમુખો, આગેવાનો, કરજણ વિધાનસભાના હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..