ભરૂચ: ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,નેત્રંગ તાલુકા પંચાયત કચેરીનો કર્યો ઘેરાવો

જિલ્લા યુવા કોંગ્રેસ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ભ્રષ્ટાચારી નીતિઓના આક્ષેપ સાથે નેત્રંગ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,નેત્રંગ તાલુકા પંચાયત કચેરીનો કર્યો ઘેરાવો

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નેત્રંગ ખાતે સરકારની ભ્રષ્ટાચારી નીતિઓના આક્ષેપ સાથે તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ભ્રષ્ટાચારી નીતિઓના આક્ષેપ સાથે નેત્રંગ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વાર કરાયેલ આક્ષેપ અનુસાર સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયતની ચૂંટણીના બે વર્ષ બાદ પણ ભાજપ પ્રેરિત તાલુકા પંચાયતો સ્થાનિક પ્રશ્નોનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડી રહી છે.આદિવાસી વિસ્તારના ખેડૂતોને ભાજપના ચૂંટાયેલા સભ્યો દ્વારા અવારનવાર અત્યાચાર કરી હેરાન કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નેત્રંગ તાલુકા પંચાયતનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી, વિપુલ વસાવા જયેશ વસાવા,શેરખાન પઠાણ, મોસીન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.