કાર ભાડે મુકી મહિને રૂ. 20 હજાર કમાઓ... : લોભામણી લાલચ આપનાર અંકલેશ્વરના પિતા-પુત્ર સહિત રિક્ષાચાલકની ધરપકડ

અંકલેશ્વરમાં પિતા-પુત્ર અને રિક્ષાચાલકે ભેગા મળી 35થી વધુ કારમાલિકો સાથે છેતરપિંડી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
કાર ભાડે મુકી મહિને રૂ. 20 હજાર કમાઓ... : લોભામણી લાલચ આપનાર અંકલેશ્વરના પિતા-પુત્ર સહિત રિક્ષાચાલકની ધરપકડ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પિતા-પુત્ર અને રિક્ષાચાલકે ભેગા મળી 35થી વધુ કાર માલિકો સાથે રૂ. 1.45 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરમાં પિતા-પુત્ર અને રિક્ષાચાલકે ભેગા મળી 35થી વધુ કારમાલિકો સાથે છેતરપિંડી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં GEB તથા અન્ય જગ્યાઓ પર કાર ભાડે મુકવાથી મહિને રૂ. 20 હજાર જેટલું ભાડુ મળશે તેવી લોભામણી લાલચ આપી માલિકો પાસેથી કાર પડાવી લઈ તેને સગેવગે કરી દીધી હતી, ત્યારે અંકલેશ્વર તથા આસપાસના ગામોમાંથી છેતરાયેલાં લોકોએ થોડા દિવસ પહેલાં અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી. એક કાર માલિકની ફરિયાદના આધારે પોલીસે દઢાલ ગામના ફેઝાન શેખ અને જાવીદ શેખ સહીત 4 ઇસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ કેસમાં સલીમ મન્સૂરી અને ઇસ્માઇલ મરઘીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. બી’ ડિવિઝન પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ તથા તેમની ટીમે તપાસ આદરી હતી. જેમાં આરોપીઓએ કાર માલિકો પાસેથી મેળવેલાં વાહનો ક્યાં છે, તે સહિતની બાબતોને આવરી લેવામાં આવી હતી. જોકે, આ મામલે પોલીસે ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડીયામાં દરોડા પાડી 4 આરોપીને ઝડપી પાડ્યા છે. આ ચારેય આરોપી પાસેથી પોલીસે કાર સહિત 21 વાહનો રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.