ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી : છેલ્લા 9 મહિનાથી ગુમ બારડોલીના વ્યક્તિનું પરિવાર સાથે કરાવ્યુ સુખદ મિલન

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામમાંથી છેલ્લા 9 મહિનાથી ગુમ થયેલ હિરેનભાઈ બાબુભાઈ પટેલને ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસેથી શોધી તેઓના પરિવાર સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સુખદ મિલન કરાવ્યું હતું.

New Update
ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી : છેલ્લા 9 મહિનાથી ગુમ બારડોલીના વ્યક્તિનું પરિવાર સાથે કરાવ્યુ સુખદ મિલન

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામમાંથી છેલ્લા 9 મહિનાથી ગુમ થયેલ હિરેનભાઈ બાબુભાઈ પટેલને ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસેથી શોધી તેઓના પરિવાર સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સુખદ મિલન કરાવ્યું હતું.

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં ગુમ અને અપહરણ થયેલ બાળકો, સ્ત્રી અને પુરુષને શોધી કાઢવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ દ્વારા એલસીબીના અધિકારી કર્મચારીઓને ગુમ અથવા અપહરણ થયેલ બાળકો, સ્ત્રી અને પુરુષને શોધી કાઢવા પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ.તુવર સહિત એલસીબી ભરૂચની ટીમ ભરૂચ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, બારડોલીના વાંકાનેર ગામથી ગત તા. 13-05-2023ના રોજ ગુમ થનાર હિરેનભાઈ બાબુભાઈ પટેલ કે, જેઓ ભરૂચ રેલ્વે સ્ટેશન સર્કલ નજીક ખાનગી વાહનમાં હોવાની વિગત જાણવા મળી હતી. આ દરમિયાન પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા છેલ્લા 9 મહિનાથી ગુમ થયેલ હિરેનભાઈ પટેલને શોધી કાઢી ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જે બાદ ભરૂચ એલસીબી પોલીસે તેઓના પરિવારનો સંપર્ક કરી કરતા તેમનો પરિવાર ભરૂચ આવી પહોંચ્યો હતો. આ સાથે જ ગુમ થનાર હિરેનભાઈ પટેલનું તેઓના પરિવાર સાથે ભરૂચ પોલીસે સુખદ મિલન કરાવ્યુ હતું, ત્યારે સરાહનીય કામગીરી બદલ હિરેનભાઈ પટેલના પરિવારજનોએ ભરૂચ પોલીસનો આભાર માન્યો હતો.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.