ભરૂચ અને વાગરાના ધારાસભ્યોને કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું,આદિવાસીઓના પ્રશ્નો બાબતે રજૂઆત

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ અને વાગરાના ધારાસભ્યોને કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું,આદિવાસીઓના પ્રશ્નો બાબતે રજૂઆત

કોંગ્રેસ દ્વારા રાજ્ય વ્યાપી અભિયાનના ભાગરૂપે આગામી ૨૫મી માર્ચના રોજ આદિવાસીના પ્રશ્નોને વાચા આપવાની માંગ સાથે ભાજપના ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે.જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જેમાં જણાવાયું છે કે હાલમા ચાલી રહેલ બજેટ સત્રમાં ગુજરાતમાં આદિવાસી સમાજની અસ્મિતા ટકાવી રાખવા માટે આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી સમાજની જળ ,જંગલ અને જમીનની સમસ્યાઓ , આદિવાસી સમાજના વિસ્થાપન અંગે ની સમસ્યાઓણે આગામી 25 મી માર્ચના રોજ બજેટ સત્ર દરમિયાન આદિજાતિ વિભાગની માંગણીઓના દિવસે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને એના મૂલ્યોને જીવંત રાખવા માટે આદિવાસી સમાજનો આવાજ બનીને રજૂઆત કરવાની માંગણી કરવામાં આવી છે.સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા,શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી શોખી,પાલિકા સભ્ય સલીમ અમદાવાદી, સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Latest Stories