ભરૂચના આ માર્ગ પરથી પસાર થતાં પહેલા વાહનચાલકો વિચારજો, નહિતર વેઠવી પડશે હાલાકી..!

New Update
ભરૂચના આ માર્ગ પરથી પસાર થતાં પહેલા વાહનચાલકો વિચારજો, નહિતર વેઠવી પડશે હાલાકી..!

ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા, શુકલતીર્થ, કડોદ, મંગલેશ્વર, અંગારેશ્વર અને ઝનોર સહિત 20થી વધુ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક વર્ષોથી નવો નહીં બનતા રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. વધુમાં હવે આ માર્ગ પર એટલી હદે ધૂળની ડમરીઓ ઉડવાથી લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. આ માર્ગના સમારકામ માટે વારંવાર રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા શા માટે આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આ અગાઉ પણ 2 મહિના પહેલા જ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ દોઢથી બે ફૂટ ઊંડા ખાડા પડી જતાં સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરી ખાડા પુરવાની માંગ કરી હતી. જોકે, માંગ કર્યા બાદ ખાડા તો પુરાયા, પરંતુ ત્યારબાદ પડેલા વરસાદના કારણે માર્ગ ધોવાય જતાં એની એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ માર્ગ પર શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પણ ધૂળની ડમરીઓથી હાલાકી વેઠવી પડે છે. ઉલ્લેખનીય છે કે, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા થોડા મહિનાઓ પહેલા આ રોડ 20 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ 2 મહિનાથી કોઈપણ જાતની કામગીરી ન થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો આવનારા સમયમાં આ રોડ વહેલી તકે બનાવવામાં નહીં આવે તો સ્થાનિકો અને ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.