અંકલેશ્વર: નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં દીપડાનો ભય, વન વિભાગ દ્વારા સાત પાંજરા ગોઠવાયા

ખેડૂતોએ એક નહીં પરંતુ ત્રણથી વધુ દીપડાના પંજાના નિશાન જોતાં તેઓ ભયભીત બન્યા

New Update
અંકલેશ્વર: નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં દીપડાનો ભય, વન વિભાગ દ્વારા સાત પાંજરા ગોઠવાયા

અંકલેશ્વરના માંડવા,કાસિયા અને છાપરા ગામમાં સતત દીપડાઓના આંટા ફેરાને પગલે વન વિભાગ દ્વારા સાત જેટલા મારણ સાથે પાંજરા ગોઠવી ગ્રામજનો,ખેડૂતોને રાતના સમયે નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા 25 દિવસથી અંકલેશ્વર તાલુકામાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે.જેને પગલે ગ્રામજનો અને ખેડૂતો ભયના ઓથાર હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે.અંકલેશ્વરના માંડવા,કાસિયા અને છાપરા ગામ તેમજ સીમમાં અવાર નવાર દીપડા નજરે પડી રહ્યા છે.ગામના ખેડૂતોએ એક નહીં પરંતુ ત્રણથી વધુ દીપડાના પંજાના નિશાન જોતાં તેઓ ભયભીત બન્યા છે.ત્યારે વન વિભાગ દ્વારા અગાઉ બેથી વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા

પણ હાલ દીપડાઓની સંખ્યા વધુ હોવાની વાતો વહેતી થતાં જ સાત જેટલા પાંજરા મારણ ગોઠવવામાં આવ્યા હતા.દીપડાના નીકળવાના માર્ગો ઉપર ખાસ પાંજરા મૂકવામાં આવ્યા છે.અને વન વિભાગના અધિકારીએ ગ્રામજનો સહિત ખેડૂતોને રાતના સમયે જ દીપડો શિકાર કરવા નીકળતો હોવાથી રાતે અને વહેલી સવારે બહાર નહીં નીકળવા સાથે 5થી વધુ લોકોએ સમૂહમાં જ બહાર નીકળવા અપીલ કરી છે.વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે.તેવા સંગોજોમાં વન વિભાગ વહેલી તકે દીપડાઓને પકડી પાડે તેવી ગ્રામજનોએ માંગ કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.