/connect-gujarat/media/post_banners/67d963f49ab5ca21d2b3fd518596781fdcc21d274c966fa10977fccec1caafbb.jpg)
અંકલેશ્વરના માંડવા,કાસિયા અને છાપરા ગામમાં સતત દીપડાઓના આંટા ફેરાને પગલે વન વિભાગ દ્વારા સાત જેટલા મારણ સાથે પાંજરા ગોઠવી ગ્રામજનો,ખેડૂતોને રાતના સમયે નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા 25 દિવસથી અંકલેશ્વર તાલુકામાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે.જેને પગલે ગ્રામજનો અને ખેડૂતો ભયના ઓથાર હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે.અંકલેશ્વરના માંડવા,કાસિયા અને છાપરા ગામ તેમજ સીમમાં અવાર નવાર દીપડા નજરે પડી રહ્યા છે.ગામના ખેડૂતોએ એક નહીં પરંતુ ત્રણથી વધુ દીપડાના પંજાના નિશાન જોતાં તેઓ ભયભીત બન્યા છે.ત્યારે વન વિભાગ દ્વારા અગાઉ બેથી વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા
પણ હાલ દીપડાઓની સંખ્યા વધુ હોવાની વાતો વહેતી થતાં જ સાત જેટલા પાંજરા મારણ ગોઠવવામાં આવ્યા હતા.દીપડાના નીકળવાના માર્ગો ઉપર ખાસ પાંજરા મૂકવામાં આવ્યા છે.અને વન વિભાગના અધિકારીએ ગ્રામજનો સહિત ખેડૂતોને રાતના સમયે જ દીપડો શિકાર કરવા નીકળતો હોવાથી રાતે અને વહેલી સવારે બહાર નહીં નીકળવા સાથે 5થી વધુ લોકોએ સમૂહમાં જ બહાર નીકળવા અપીલ કરી છે.વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે.તેવા સંગોજોમાં વન વિભાગ વહેલી તકે દીપડાઓને પકડી પાડે તેવી ગ્રામજનોએ માંગ કરી રહ્યા છે.