Connect Gujarat
ભરૂચ

AAPમાં “ભડકો” : ભરૂચ જિલ્લાના 40થી વધુ હોદ્દેદારો-કાર્યકરોએ ધરી દીધા રાજીનામા..!

40થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામાં ધરી દેતા ભરૂચ જિલ્લાનું રાજકારણ ગરમાયું

AAPમાં “ભડકો” : ભરૂચ જિલ્લાના 40થી વધુ હોદ્દેદારો-કાર્યકરોએ ધરી દીધા રાજીનામા..!
X

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના 40થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ એક સાથે રાજીનામા ધરી દીધા દેતા આપ પાર્ટીમાં મોટો ભડકો થયો છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના 40થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ એક સાથે રાજીનામા ધરી દીધા હોવાનું સામે આવ્યું છે. ભરૂચ જિલ્લા AAP પ્રમુખને લઈને 40થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા આપી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. 3 દિવસ અગાઉ પણ 25 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ AAP પાર્ટીમાંથી રાજીનામા આપી અલવિદા કર્યું હતું.


ત્યારે હવે લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અને સહ મંત્રી સહિત 40થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામાં ધરી દેતા ભરૂચ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. જોકે, એક સાથે 40 કાર્યકરોના રાજીનામાનું કારણ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સામે તેની કાર્યપ્રણાલીને લઈને વિરોધનો સુર ઉઠ્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.



Next Story