આઝાદીના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 76 રૂપિયામાં જમવાનું !

સ્વતંત્ર ભારતના 76 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેનો સમગ્ર દેશવાસીઓને ગર્વ છે અને ઠેર ઠેર આ પર્વની માનભેર ઉજવણી કરવામાં આવશે

New Update
આઝાદીના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 76 રૂપિયામાં જમવાનું !

સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે તારીખ 15મી ઓગષ્ટના રોજ અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફમાં માત્ર 76 રૂપિયામાં વિવિધ વાનગીઓ ગ્રાહકોને પીરસવામાં આવશે

સ્વતંત્ર ભારતના 76 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેનો સમગ્ર દેશવાસીઓને ગર્વ છે અને ઠેર ઠેર આ પર્વની માનભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફ દ્વારા રાષ્ટ્રિય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. ભારત સ્વતંત્રતાના 76 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ હોટલ સિલ્વર લિફ દ્વારા વિશેષ ઓફર આપવામાં આવી છે જેમાં તારીખ 15 ઓગષ્ટના રોજ ગ્રાહકોને માત્ર 76 રૂપિયામાં જમવાનું આપવામાં આવશે. જેમાં પંજાબી,સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ વાનગીઓ પીરસવામાં આવશે. આ અંગે હોટલ સિલ્વર લિફના મેનેજર પ્રભાત ત્યાગીએ જણાવ્યુ હતું કે દેશ આઝાદીના 76 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે હોટલ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.