Connect Gujarat
ભરૂચ

“મારી તમામ મિલકત પર માત્ર મારા પરિવારનો હક છે” કહી ભરૂચમાં 8મા માળેથી આધેડે લગાવી મોતની છલાંગ..!

શક્તિનાથ વિસ્તારમાં આવેલ દેવદર્શન એપાર્ટમેન્ટના 8મા માળેથી અગમ્ય કારણોસર આધેડે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે.

X

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ દેવદર્શન એપાર્ટમેન્ટના 8મા માળેથી અગમ્ય કારણોસર આધેડે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં રહેતા 52 વર્ષીય આધેડે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મોદીપાર્ક નજીક દેવદર્શન એપાર્ટમેન્ટમાં 804 નંબરના ફ્લેટમાં છેલ્લા ઘણા સમયથી એકલા રહેતા અશ્વિનભાઈ રમણભાઈ ચૌહાણે 8મા માળેથી ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. જોકે, મૃતક અશ્વિન ચૌહાણે મોતની છલાંગ લગાવતા પહેલા પોતાની આપવીતીનો વિડિયો બનાવી આપઘાતનું કારણ દર્શાવ્યું હતું. જેમાં પોતાની પત્ની અને સાસુ-સસરાના કારણે તેઓ એકલા રહેવા મજબૂર બન્યા હોવાનું જણાવ્યુ હતું. આ સાથે જ “મારી તમામ મિલકત પર માત્ર મારા પરિવારનો હક છે” તેવું પણ મૃતક અશ્વિન ચૌહાણ વિડિયો મારફતે જણાવી રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

Next Story