"સેવાકાર્ય" : ભરૂચમાં 75 વર્ષીય વૃદ્ધનું નિધન થતાં પરિવારજનોએ લીધો દેહદાન કરવાનો નિર્ણય...
આજરોજ ભરૂચ શહેર માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે, ભરૂચ શહેરમાં માત્ર 15 જ દિવસમાં ફરી એકવાર દેહદાન થઈ રહ્યું છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધનું અવસાન થતાં પરિવારજનોની સહમતીથી દેહદાન કરવાનો નિર્ણય આવકારી સંકલ્પ ફાઉન્ડેશન-ભરૂચ દ્વારા વૃદ્ધના પાર્થિવ દેહને મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે ઝાયડસ મેડિકલ કોલેજ-દાહોદ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આજરોજ ભરૂચ શહેર માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે, ભરૂચ શહેરમાં માત્ર 15 જ દિવસમાં ફરી એકવાર દેહદાન થઈ રહ્યું છે. ભરૂચ શહેરના નિવાસી ઝાડેશ્વર ખાતે રહેતા 75 વર્ષીય ઇન્દ્રવદન પટેલનું દુઃખદ નિધન થતાં પરિવારજનો દ્વારા દેહદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં સંકલ્પ ફાઉન્ડેશન-ભરૂચનો સંપર્ક કરતા સંસ્થા દ્વારા દેહને મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે ઝાયડસ મેડિકલ કોલેજ-દાહોદ ખાતે એમ્બ્યુલન્સ દ્વારા પહોંચાડવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ કાર્યમાં સંસ્થાના પ્રમુખ સંજય તલાટી, ગિરીશ પટેલ ગૌતમ મહેતા તથા અન્ય સભ્યોના સાથ સહકાર થકી આ સેવા કાર્યને પાર પાડવામાં આવ્યું હતું.