નુરૂ વાવાઝોડાની અસર ! ભરૂચ અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી જ પાણી.!

નુરૂ વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહયો છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

New Update
નુરૂ વાવાઝોડાની અસર ! ભરૂચ અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી જ પાણી.!

નુરૂ વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહયો છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

હવામાન વિભાગની આગાહી મુજબ નુરુ વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ સુરત, તાપી, વલસાડ, નવસારી જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. આજે પણ વહેલી સવારથી તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.વાવાઝોડાની અસરના પગલે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહયો છે.ભરૂચ અને અંકલેશ્વરમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળ ડીબાંગ વાદળોની ફૌજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અને વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું તો બીજી તરફ ડાંગર સહિતના પાકને નુકશાનની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories