ભરૂચ-અંકલેશ્વરને જોડતાં જુના નેશનલ હાઇવે પર ધમધમતી થઈ પોંકની હાટડીઓ...

ભરૂચ જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદના પગલે વર્ષોથી પરંપરાગત વાણીની ખેતી કરતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

New Update
ભરૂચ-અંકલેશ્વરને જોડતાં જુના નેશનલ હાઇવે પર ધમધમતી થઈ પોંકની હાટડીઓ...

શિયાળાની ફુલગુલાબી ઠંડીનો પ્રારંભ થઇ ચુકયો છે, ત્યારે ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં જુના નેશનલ હાઇવે પર શિયાળામાં લોકોના આરોગ્ય માટે ઉત્તમ એવા પોંકની છાપરા પાટિયાથી લઈ ગડખોલ પાટિયાથી સુધી હાટડીઓ જોવા મળી રહી છે.

ભરૂચ જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદના પગલે વર્ષોથી પરંપરાગત વાણીની ખેતી કરતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જે બાદ ઉઘાડ નીકળતા જ વાણીની ખેતી કરતાં ખેડૂતોના માથેથી ચિંતાનું મોજું દૂર થયું છે. તેવામાં હાલ નવેમ્બર માસ પૂર્ણ થવાની સાથે નવેમ્બરથી માર્ચ આમ 5 મહિના સુધી કેટલાક ખેડૂતો પોંકનું વેચાણ કરતાં હોય છે. તેવામાં ભરૂચના જૂના નેશનલ હાઇવે પર ગોલ્ડન બ્રિજ પોલીસ ચોકીથી થોડે દૂરથી ગડખોલ પાટિયા સુધીમાં પોંકના વેચાણની હાટડીઓ ધમધમતી થઈ છે. ગત વર્ષે 600 રૂપિયે કિલો વેચાતા પોંકનો ભાવ ચાલુ વર્ષે પણ 600 રૂપિયે કિલો યથવાત્ત રહ્યો છે. સ્વાસ્થ્ય પ્રેમીઓ પણ હોસે હોસે પોતાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવમાં આવતા પોંકની ખરીદી કરી ચટપટી સેવ સાથે તેની લિજ્જત માણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં લોકોને એકસાથે 3 ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેથી તાજેતરમાં પોકના વેચાણમાં ઘરાકી ઓછી જોવા મળતી હોવાનું પોંકના વેપારીઓ જણાવી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.