અંકલેશ્વર: જૂના બોરભાઠા બેટ રોડ પર દુર્લભ વન્ય પ્રાણી વનીયરનું' અજાણ્યા વાહનની ટક્કરે મોત

અજાણ્યા વાહનની ટક્કરે શિકારની શોધમાં પહોંચેલા અને નામશેષ થવાની કગારે ઉભેલ વનીયર પ્રાણીનું મોત થયું

New Update
અંકલેશ્વર: જૂના બોરભાઠા બેટ રોડ પર દુર્લભ વન્ય પ્રાણી વનીયરનું' અજાણ્યા વાહનની ટક્કરે મોત

અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટના રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે શિકારની શોધમાં પહોંચેલા અને નામશેષ થવાની કગારે ઉભેલ વનીયર પ્રાણીનું મોત થયું હતું.બિલાડી જેવા દેખાતા પ્રાણીથી લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. જુના બોરભાઠા બેટના હિરેનભાઈ ઠાકુરને રોડ વચ્ચે પડેલ હોવાથી તેને રોડની સાઈડ પર મૂકી અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમી અમિત રાણાને જાણ કરી હતી તે આ પ્રાણી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની અનુસૂચિ હેઠળ સુરક્ષિત હોવાથી તાત્કાલિક અંકલેશ્વર વન વિભાગને જાણ કરવામાં આવી હતી.