અમેરિકામાં 6 વર્ષથી પ્રતિબંધિત હતી ગીરની પ્રખ્યાત કેસર કેરી, અમરેલીના ખેડૂતની જહેમતે વિદેશીઓએ ચાખ્યો કેરીનો સ્વાદ

ગીરની પ્રખ્યાત કેસર કેરીઓ દેશ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત થઈ છે. અમરેલી જિલ્લાની કેસર કેરી છેક અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોચી છે

New Update
a

ગીરની પ્રખ્યાત કેસર કેરીઓ દેશ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત થઈ છે. અમરેલી જિલ્લાની કેસર કેરી છેક અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોચી છે, ત્યારે વિદેશમાં કેસર કેરી પહોચાડવા એક શિક્ષકની જહેમતે અમેરિકામાં પ્રતિબંધિત કેરીઓ શરૂ કરાવવા અમેરિકા-ભારત વચ્ચેના કરારો કરાવી કેસર કેરી અમેરિકાના વાઇટ હાઉસ સુધી પહોંચાડવાની સિદ્ધિ હાંસલ કરી છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભામોદ્રા ગામના વતની મધુ સવાણી 150 વીઘા વાડીમાં 10 હજાર આંબાના અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીને 300 -300 ગ્રામની કેરીઓ પકાવીને વિદેશમાં એક્સપોર્ટ કરી ડોલરમાં રૂપિયા કમાઈ રહ્યા છે. દામનગર ખાતે શિક્ષકની નોકરી કરી દીકરાને વિદેશમાં ભણાવવા અને સ્થાયી કરવા નોકરીમાંથી રાજીનામુ આપી અમેરિકા ગયા, પુત્રોને ભણાવ્યા અને અમેરિકામાં સ્થાયી કરી ફરી દેશપ્રેમ તેઓને પરત ભારત લઈ આવ્યો. વતનમાં ખેતીકામ શરૂ કર્યું અને અમેરિકા દીકરાને મળવા ગયા, ત્યારે કેસર કેરીઓ છુપાવીને અમેરિકાના એરપોર્ટ સુધી પહોંચી પણ ત્યાં કેરીઓ એરપોર્ટ સત્તાધીશોએ પકડી પાડીને કેરીઓ ફેંકાવી દીધી હતી. કેસર કેરીઓ પોતાના દીકરાઓ ખાઈ ન શક્યા અને કેસર કેરીઓ કેમ અમેરિકામાં નથી આવતી એ જાણતા અમેરિકાએ અમુક નિયમોને લઈને આ કેરીઓ પર પ્રતિબંધ મૂક્યો હોવાનું જાણવા મળ્યું. એમના દીકરા ડો. ભાસ્કર સવાણી દ્વારા વ્હાઇટ હાઉસથી લઈને છેક ભારત દેશના મંત્રાલય સુધી 2001થી 2007 સુધી મહેનત કરીને 6 વર્ષની જહેમતનું ફળ પ્રાપ્ત થયું અને અમેરિકાએ 183 જેટલી પૂર્તત્તા બાદ કેસર કેરીઓને અમેરિકામાં પરવાનગી આપી હતી, ત્યારે કેસર કેરીના બગીચામાં 10 હજાર આંબાના વૃક્ષોનું લાલન પાલનની જવાબદારી વયોવૃદ્ધ પણ યુવાનોને શરમાવે તેવા મધુ સવાણી 85 વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિ સાથે રોજ પોતાની વિદેશથી આવેલી આધુનિક કારમાં આંબાના બગીચામાં આવે છે. કેરીઓની કાળજી રાખતા મજુરો પર નજર રાખે છે, જ્યારે કેસર કેરી એ ફળોમાં રાણી ગણાય છે. જે કેસર કેરીઓ 2007માં અમેરિકા પહોચાડવામાં બહુ જટીલ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. કેસર કેરી અને આલ્ફાન્ઝો રત્નાપૂરી કેરીઓનું 300 ગ્રામનું ફળ પ્રથમ એક કેરેટમાં કેરીઓ જમાં કરાવીને ધરમપુર ખાતે મોકલવામાં આવે છે. ત્યાં ગ્રેડેશન થયા બાદ લસણગામાં બોક્સમાં પેકિંગ કરીને મુંબઈ થઈને કાર્ગો મારફતે અમેરિકા અને દક્ષિણ કોરિયા પહોચાડવામાં આવે છે. પ્રથમ આ કેસર કેરીઓ અમેરિકા પહોંચી, ત્યારે વ્હાઇટ હાઉસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ બુશ, ડોનાલ્ડ ટ્રમ્પ, બાઈડને પણ કેરીનો સ્વાદ ચાખ્યો હતો, જ્યારે રાણી એલીજાબેથના પુત્રવધૂએ પણ કેરીઓનો સ્વાદ માળ્યો હતો. ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમવાર અમેરિકાના વોશિંગટન બિઝનેસ કાઉન્સિલમાં ગયા, ત્યારે PM મોદીના વિઝા કેન્સલ કરનારા નેન્સી પ્લોસી એજ સવાણી ફાર્મના 25 બોક્સ કેરીઓના મંગાવી PM મોદીને ભોજનમાં પીરસી હતી. આમ અમરેલીની કેસર કેરીઓ અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોચી છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.