Connect Gujarat
બિઝનેસ

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવ વચ્ચે નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, વાંચો વધુ...

સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવથી પરેશાન લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્યૂલ પર મોટું નિવેદન આપ્યું છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવ વચ્ચે નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, વાંચો વધુ...
X

સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવથી પરેશાન લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્યૂલ પર મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રીનું કહેવું છે કે, સરકાર હવે દર 15 દિવસે ક્રૂડ ઓઇલ, ડીઝલ-પેટ્રોલ અને વિમાન ઇંધણ (ATF) પર લગાવવામાં આવેલા ટેક્સની સમીક્ષા કરશે. જોકે, આંતરરાષ્ટ્રીય કિંમતોને ધ્યાનમાં રાખતાં સરકાર દ્વારા ટેક્સની સમીક્ષા દર 15 દિવસે કરવામાં આવશે.

નાણામંત્રી સીતારમણે જણાવ્યુ હતું કે, આ એક મુશ્કેલ સમય છે, અને વૈશ્વિક સ્તર પર ઓઇલના ભાવ બેલગામ થઇ ચૂક્યા છે. તેમણે કહ્યું કે 'અમે નિર્યાત હતોત્સાહિત કરવા માંગતા નથી. પરંતુ ઘરેલૂ સ્તર પર તેની ઉપલબ્ધતા વધારવા માંગીએ છીએ. જો ઓઇલ ઉપલબ્ધ નહી થાય અને નિર્યાત અપ્રત્યાશિત લાભ સાથે રહેશે તો તેમાં ઓછામાં ઓછો ભાગ પોતાના નાગરિકો માટે પણ રાખવો જરૂરી રહેશે. સરકારે શુક્રવારે જ પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઇંધણના નિર્યાત પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઇએ કે, પેટ્રોલ અને એટીએફના નિર્યાત પર 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના નિર્યાત પર 13 રૂપિયા પ્રતિ લીટરના દરથી ટેક્સ લગાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે, આ નવો નિયમ એક જુલાઈથી લાગુ થઇ ગયો છે. રૂપિયાના ઘટાડા પર નાણાંમંત્રીએ કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંક અને સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. સરકાર આયાત પર રૂપિયાના મુલ્યની અસરને લઇને પણ સંપૂર્ણપણે સચેત છે.

Next Story