કોરોના સંકટ: રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું - રસીનો અભાવ એક ગંભીર સમસ્યા છે, 'ઉત્સવ' નહીં

New Update
કોરોના સંકટ: રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું - રસીનો અભાવ એક ગંભીર સમસ્યા છે, 'ઉત્સવ' નહીં

કોરોના રસીના અભાવના અહેવાલો વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલો પૂછતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે આપણાં દેશવાસીઓને જોખમમાં મૂકીને વેક્સિનનું નિકાસ શું યોગ્ય છે? આ દરમિયાન તેમણે વડા પ્રધાનને આડે હાથ પણ લીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે વધતી કોરોના સંકટમાં રસીનો અભાવ એ ખૂબ ગંભીર સમસ્યા છે, ઉજવણી નહીં.

રાહુલ ગાંધીએ કહ્યું, "વધતી કોરોનાના સંકટમાં, રસીનો અભાવ એ 'ઉત્સવ' નહીં, ઘણી ગંભીર સમસ્યા છે. આપણાં દેશવાસીઓને જોખમમાં મૂકીને રસીનું આની દેશોમાં નિકાસ શું યોગ્ય છે?, કેન્દ્ર સરકારે પક્ષપાત વિના તમામ રાજ્યોની મદદ કરવી જોઈએ. આપણે બધાએ સાથે મળીને આ રોગચાળાને હરાવવા પડશે.''

તમને જણાવીએ કે, દેશના ઘણા રાજ્યોએ કોરોના રસીની માત્રાના અભાવ વિશે કેન્દ્ર સરકારને જાણ કરી હતી. રાજ્યો દ્વારા અપાયેલી આ માહિતી બાદ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન દ્વારા રસી અંગે એક પક્ષ રાખ્યો હતો.

હર્ષવર્ધને કહ્યું હતું કે "ચાલો હવે ડરનો અંત કરીએ. કોરોના રસીના 9 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યો પાસે 4.3 કરોડનો સ્ટોક છે. અછતનો પ્રશ્ન જ ક્યાં ઉભો થાય છે? અમે સતત દેખરેખ રાખીએ છીએ અને સપ્લાય વધારીએ છીએ."

ઘણા રાજ્યોએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર અમારી સામે ભેદભાવ કરી રહી છે અને રસીના ટૂંકા સપ્લાયને કારણે અમારે રસીકરણ કેન્દ્રો બંધ કરવા પડશે. મહારાષ્ટ્રને અત્યાર સુધી રસીના 1 કરોડ 61 લાખ 9 હજાર 190 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 91 લાખ 18 હજાર 350 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદ રાજ્યમાં માત્ર 15 લાખ 840 ડોઝ બાકી છે.

જ્યારે ઓડિશાને રસીના 43 લાખ 44 હજાર 140 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 37 લાખ 87 હજાર 520 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદ રાજ્યમાં માત્ર 5 લાખ 56 હજાર 620 ડોઝ બાકી છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 58 લાખ 19 હજાર 530 ડોઝ રસી આપવામાં આવી છે. જેમાંથી 50 લાખ 13 હજાર 300 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદ હવે રાજ્યમાં માત્ર 8 લાખ 6 હજાર 230 ડોઝ બાકી છે.

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં રસીના 92 લાખ 9 હજાર 330 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 83 લાખ 24 હજાર 950 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદ રાજ્યમાં માત્ર 8 લાખ 84 હજાર 380 ડોઝ બાકી છે. ઉત્તરાખંડમાં અત્યાર સુધી રસીના 13 લાખ 36 હજાર 100 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 11 લાખ 66 હજાર 930 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદ રાજ્યમાં માત્ર એક લાખ 69 હજાર 170 ડોઝ બાકી છે.

Read the Next Article

ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો

ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો છે. આ વિજય સાથે ભારતે પાંચ મેચની શ્રેણી

New Update
cricket

ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો છે. આ વિજય સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે.

આ ઐતિહાસિક જીતમાં કેપ્ટન શુભમન ગિલ ના બેટનો જાદુ, મોહમ્મદ સિરાજ ની ઘાતક બોલિંગ અને આકાશદીપ ના કુલ 10 વિકેટે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

58વર્ષનો ઇંતજાર સમાપ્ત: એજબેસ્ટન પર પ્રથમ જીત!

બર્મિંગહામનું એજબેસ્ટન મેદાન ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે અત્યાર સુધી દુઃસ્વપ્ન સમાન રહ્યું હતું. ભારતે અહીં 1967 માં પહેલી ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ અત્યાર સુધી આ મેદાન પર એકપણ ટેસ્ટ જીતી શક્યું ન હતું. કપિલ દેવ, વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા દિગ્ગજ સુકાનીઓ પણ તેમની કેપ્ટનશીપમાં ભારતને અહીં જીત અપાવી શક્યા ન હતા. આખરે, શુભમન ગિલ ની કેપ્ટનશીપ હેઠળ ભારતે 58 વર્ષ લાંબા પરાજયના સિલસિલાનો અંત લાવ્યો અને ઇતિહાસ રચ્યો.

મેચનો સંપૂર્ણ સારાંશ

ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું, જે નિર્ણય પાછળથી તેમની ટીકાનું કારણ બન્યો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા કેપ્ટન શુભમન ગિલ ના શાનદાર 269 રનના બળ પર 587 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. પ્રથમ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 87 અને રવિન્દ્ર જાડેજાએ 89 રનનું યોગદાન આપ્યું. જવાબમાં, ઇંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે 158 રન અને જેમી સ્મિથે 184 રન બનાવ્યા, પરંતુ તેમના સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. પરિણામે, ઇંગ્લેન્ડની ટીમ 407 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતને પ્રથમ ઇનિંગમાં 180 રનની મોટી લીડ મળી.