કોવિડ-19 : રાજ્યમાં આજે કોરોનાના 850 નવા કેસ નોધાયા, 7 દર્દીના મોત

New Update
કોવિડ-19 : રાજ્યમાં આજે કોરોનાના 850 નવા કેસ નોધાયા, 7 દર્દીના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 850 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 7 દર્દીના મોત થયા છે. રાજ્યમાં આજે 920 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,41,845 પર પહોંચી છે. સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4285 થયો છે.

રાજ્યમાં હાલ 10435 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,27,128 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 63 દર્દી વેન્ટીલેટર પર છે અને 10372 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 850 નવા નોધાયલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 172, સુરત કોર્પોરેશનમાં 126, વડોદરા કોર્પોરેશનમાં 105, રાજકોટ કોર્પોરેશનમાં 61, સુરતમાં-32, રાજકોટ 31, , દાહોદ-30, વડોદરા 30, કચ્છ 26, મહેસાણા 22, ભાવનગર કોર્પોરેશન 19, પંચમહાલ 16, જામનગર કોર્પોરેશન 15, ગાંધીનગર 13, ગાંધીનગર કોર્પોરેશન-13, અને ખેડા 13 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં-2, અને વડોદરામાં 1 દર્દીના મોત સાથે કુલ 7 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

રાજ્યમાં આજે કુલ 920 દર્દી સાજા થયા હતા અને 53,075 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 94,37,105 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.91 ટકા છે.

Read the Next Article

અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે બુલેટ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની રાજસ્થાન ખાતેથી કરી ધરપકડ

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા ચોકડી રોયલ

New Update
IMG-20250630-WA0045
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા ચોકડી રોયલ કોમ્પલેક્ષના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ બુલેટ બાઇકની ચોરીમાં સંડોવાયેલ આરોપી પ્રેમસિંગ ઉર્ફે બબલુ ઉદેસિંગ રાણાવત ઓળખ છુપાવી રાજસ્થાનના શિરોહી ખાતે ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો આરોપી પ્રેમસિંગ રાણાવતને ઝડપી પાડ્યો હતો.
Latest Stories