/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/07202102/coronavirus-jharkhand-1585656295.jpg)
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 890 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 7 દર્દીઓના મોત થયા છે. અને રાજ્યમાં આજે 1002 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,40,995 પર પહોંચી છે. સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4275 થયો છે.
રાજ્યમાં આજે 890 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 178, સુરત કોર્પોરેશનમાં 128, વડોદરા કોર્પોરેશનમાં 108, રાજકોટ કોર્પોરેશનમાં 58, સુરતમાં-36, વડોદરા-31, મહેસાણા-24, દાહોદ-22, ભરુચ-20, રાજકોટ-20, ખેડા-19, પંચમહાલ-17, ગાંધીનગર કોર્પોરેશન-15, ગાંધીનગરમાં -14 અને પાટણમાં 14 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં-1, મહેસાણામાં-1 અને રાજકોટ કોર્પોરેશનમાં એક દર્દીના મોત સાથે કુલ 7 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
રાજ્યમાં હાલ 10512 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,26,208 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 10451 લોકો સ્ટેબલ છે.
રાજ્યમાં આજે કુલ 1002 દર્દી સાજા થયા હતા અને 53,539 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 93,84,030 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.86 ટકા છે.