આર્મી ના જવાનો ને રાખડી બાંધતી ધ્રાંગધ્રા આર્મી પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીઓ

New Update
આર્મી ના જવાનો ને રાખડી બાંધતી ધ્રાંગધ્રા આર્મી પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીઓ

આજે સ્વતંત્ર દિવસ અને રક્ષાબંધનનો તહેવાર બંને સાથે આવેલ છે.ત્યારે આપણા દેશના જવાનો જે બોર્ડર ઉપર રહીને આપણ દેશની રક્ષા કરે છે. અને તેના કારણે આપણે સુરક્ષિત રહીએ છીએ.ત્યારે ધ્રાંગધ્રા આર્મી પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા આર્મીના જવાનોને રાખડી બાંધીને એક પરિવારના સભ્યોની જેમ રહી તે સંદેશો લોકોને આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આર્મીના જવાનો પણ પોતાના પરિવાર થી દુર રહે છે. અને તહેવાર ઉપર તેમની સાથે ઉજવણી થાય તે ખૂબ સરસ છે. જે જવાનો આપણી રક્ષા કરે છે. અને કોઈ પણ મુશ્કેલીઓ વખતે તે દેશ માટે પોતાના પ્રાણ પણ આપી દે છે. તેવા જવાનોને પણ તહેવારોની ઉજવણી સામેલ કરીને આજના દિવસે જવાનો દેશ ની રક્ષા સાથે આ બાળાઓ દ્વારા આ જવાનોને પણ સારૂ આરોગ્ય આપે અને લાંબી ઉમેર આપે તેવી પ્રાર્થના આ નિશાળની બાળા ઓ દ્વારા કરવામાં આવી હતી. આર્મી ના જવાનો તેમજ આર્મીના અધિકારીઓએ પણ આ બાળા ઓ પાસે રાખડી બંધાવી હતી.

Read the Next Article

અમરેલી : ભારે વરસાદથી તબાહી,જોલપરી નદીમાં કાર તણાતા ચાલકનું કરુણ મોત,30થી વધુ પશુઓ મોતને ભેટ્યા

નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતા, અને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક કાર તણાતા એકનું મોત થયું હતું.જ્યારે જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત થયા

New Update
  • રાજુલામાં ભારે વરસાદ બાદ તબાહી

  • જોલાપરી નદીમાં તણાઈ કાર

  • નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર

  • કાર ચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત

  • ભારે વરસાદમાં 30થી વધુ પશુઓના મોત

  • તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ અવિરત વરસી તબાહી મચાવી હતી.બપોર બાદ વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા સાવરકુંડલારાજુલા અને સહિત પંથકમાં ભારે નુકસાન થયું હતું. નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતાઅને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક કાર તણાતા એકનું મોત થયું હતું.જ્યારે જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં ગાંડીતુર પ્રવાહ જોવા મળ્યો હતો. ગામડાઓમાં પાણી ઘુસતા લોકોના ઘરો અને માલમત્તાને નુકસાન થયું હતું.કાઠમા ગામ નજીક નટુપરી બાપુના આશ્રમમાં મોડી રાતે પાણી ઘુસતા 8 પશુઓના કમકમાટીભર્યા મોત થયા હતા.

રાજુલા તાલુકાના ઉટીયા-રાજપરડા ગામ વચ્ચે બ્રિજ પર પાણીના પ્રવાહને કારણે ભુવો પડ્યો હતો.જ્યારે બ્રિજ પરથી પસાર થતી કાર પણ ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતીજેમાં માર્કેટિંગ યાર્ડના વેપારી ભગવાન વાઘનું મોત નીપજ્યું હતું. તંત્ર દ્વારા બ્રિજ તોડી કારને બહાર કાઢવામાં આવી હતી.

આ ઉપરાંત સાવરકુંડલાના ઘોબામાં પરપ્રાંતીય મજૂરો મેરામણ નદીમાં આવેલા પૂરથી વાડીમાં ફસાયા હતા,તેમને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.વધુમાં અવિરત વરસેલા ભારે વરસાદને પગલે અમરેલી જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત નિપજયા હોવાનું જાણવા મળ્યું છે.