/connect-gujarat/media/post_banners/641c6f5bf89d0e089727447b3a1b7eaaadb730029444dd48b9e8d1fd67326b3b.jpg)
અમદાવાદમાં છેલ્લા 145 વર્ષથી અવિરત રથયાત્રા યોજવામાં આવી રહી છે તે જૂના રથ છે તેના દ્વારા જ રથ યાત્રાનું આયોજન થાય છે પણ હવે નવા રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી નગરચર્યાએ નીકળશે.ત્યારે કનેકટ ગુજરાત મંદિર પહોંચ્યું હતું અને અહીં ત્રણેય નવા રથના નિર્માણનું સાક્ષી બન્યું હતું.
આ વખતની રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેમ ના નવા રથમાં બિરાજમાન થઈને રથયાત્રામાં નગરયાત્રાએ નીકળશે.તેને લઈને રથ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.સૌથી પહેલા રથના પિલર બનાવવાની કામગીરી પૂર્ણ થશે.આ નવા રથ બનાવવાનું કામ અમદાવાદ મિસ્ત્રી પરિવારને આપવામાં આવ્યું છે પણ રાજસ્થાનથી ખાસ કારીગરો દ્વારા રથનું જીણવટ ભર્યું કામ કરીને અદભુત રથ તૈયાર કરવામાં આવશે.નવા રથમાં કારીગરી અને કોતરણીમાં ઘણા બદલાવ જોવા મળશે. પહેલા રથ 11થી 12 ફુટના હતા જે હવે 14 થી 15 ફૂટના નવા બનશે.નવા રથ સાગ અને સીસમના લાકડામાંથી બનશે.
આ લાકડાની ઉંમર લગભગ 100 વર્ષની છે એટલે કે હવે જે બનશે તે રથના લાકડાને 100 વર્ષ સુધી કંઈ પણ નહીં થાય. 4 મહિના જેટલો સમય ભગવાનના ત્રણેય રથ બનવામાં લાગશે અને રથ તૈયાર થયા બાદ તેમના રંગરોગાનની કામગીરી 2 મહિના સુધી ચાલશે.જૂના રથ કરતા નવા બનનાર ત્રણેય રથમાં નજીવા ફેરફાર કરાયા છે.રથના પિલરમાં પણ ફેરફાર કરાયો છે.