અંકલેશ્વર: જીવના શિવ સાથે મિલન કરાવતા મહાશિવરાત્રીના પર્વની શિવાલયોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી

ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવતા મહાશિવરાત્રી તહેવારનું વિશેષ મહત્વ છે.આ તિથિને ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે તેથી શિવભક્તો માટે આ તહેવાર અતિ મહત્વપૂર્ણ છે

New Update
  • આજે મહાશિવરાત્રીનું મહાપર્વ

  • મહાશિવરાત્રી નિમિત્તે યોજાયા ધાર્મિક કાર્યક્રમો

  • હોમાત્મક-અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન

  • વિવિધ શિવાલયોમાં ઉમટી ભક્તોની ભીડ

  • શિવજીનું ભક્તિભાવ પૂર્વક કરાયુ પૂજન

ભગવાન ભોળાનાથને અતિપ્રિય એવા મહાશિવરાત્રીના પર્વની અંકલેશ્વરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસીમાં આવેલા વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી

દર મહિને એકવાર માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે પણ ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવતા મહાશિવરાત્રી તહેવારનું વિશેષ મહત્વ છે.આ તિથિને ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે તેથી શિવભક્તો માટે આ તહેવાર અતિ મહત્વપૂર્ણ છે.શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રીના દિવસે પ્રદોષ કાળમાં ભોળાનાથની ચાર પ્રહર માટે પૂજા કરવી શુભ માનવામાં આવે છે ત્યારે મહાશિવરાત્રીના પર્વની અંકલેશ્વરમાં પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિર,અંકલેશ્વરના અતિ પૌરાણિક રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર, જુના અંકલેશ્વરમાં આવેલા અંતરનાથ મહાદેવ મંદિર ચૌટાનાકા વિસ્તારમાં આવેલા એક લિંગનાથ મહાદેવ મંદિર તેમજ રત્નેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાશિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુરૂદ્ર, અભિષેકાત્મક લઘુરુદ્ર સહિત શિવ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા.શિવ ભક્તોએ દેવાધિદેવ મહાદેવને દૂધ, જળ, બીલીપત્ર અને કાળા તલ અર્પણ કર્યા હતા. અંકલેશ્વરના વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.

Read the Next Article

મહાભારત કથા: ભીમની આ ભૂલથી બલરામ ગુસ્સે થયા, ગુસ્સામાં તેમણે હળથી હુમલો કર્યો

મહાભારતનું યુદ્ધ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે લડવામાં આવ્યું હતું. કુરુક્ષેત્રમાં લડાયેલું આ યુદ્ધ મહાભારત કાળની સૌથી મોટી ઘટના છે. આ યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે થયું હતું

New Update
BHIM BALRAM

મહાભારતની વાર્તા લગભગ બધા જાણે છેપરંતુ મહાભારત યુદ્ધ દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓ એવી છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એવું કહેવાય છે કે એક વખત એવી પરિસ્થિતિ આવી હતી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના ભાઈ બલરામે ગુસ્સામાં આવીને શક્તિશાળી ભીમ પર હળથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. 

મહાભારતનું યુદ્ધ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે લડવામાં આવ્યું હતું. કુરુક્ષેત્રમાં લડાયેલું આ યુદ્ધ મહાભારત કાળની સૌથી મોટી ઘટના છે. આ યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે થયું હતું. 18 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ઘણા શક્તિશાળી યોદ્ધાઓ શહીદ થયા હતા. ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવા બહાદુર યોદ્ધાઓ કૌરવો તરફથી યુદ્ધમાં ભાગ લીધો હતો. ભગવાન શ્રીકૃષ્ણ અન્ય ઘણા યોદ્ધાઓ સાથે પાંડવો પક્ષમાં જોડાયા હતાપરંતુ જ્યારે યુદ્ધ તેના અંતિમ તબક્કામાં હતુંત્યારે એક વળાંક આવ્યો જ્યાં શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામ શક્તિશાળી ભીમ પર એટલા ગુસ્સે થયા કે તેમણે ભીમને મારવા માટે શસ્ત્રો ઉપાડ્યા. 

કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધમાંબંને સેનાઓના યોદ્ધાઓ એક પછી એક મૃત્યુ પામી રહ્યા હતા. મહાભારત યુદ્ધના 18મા દિવસેસહદેવે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર દુર્યોધનના મામા શકુનીનો વધ કર્યોજેના પછી દુર્યોધન ખૂબ જ નબળાઈ અનુભવવા લાગ્યોકારણ કે તેના મામા શકુનીને ગુમાવ્યા પછીદુર્યોધન તેની બુદ્ધિ અને શક્તિ ગુમાવી બેઠો. આનું કારણ એ હતું કે તે હંમેશા શકુનીની બુદ્ધિ અનુસાર બધું કરતો હતો. શકુનીના મૃત્યુ પછીકૌરવ સેનામાં અશ્વત્થામાકૃતવર્માકૃપાચાર્ય અને દુર્યોધન સિવાય કોઈ બચ્યું ન હતું. 

થાકને કારણેદુર્યોધનને તેના શરીરના દરેક ભાગમાં દુખાવો થતો હતો. તે લડવાની સ્થિતિમાં નહોતો. પોતાને બચાવવા માટેદુર્યોધન તળાવમાં છુપાઈ ગયોપરંતુ પાંડવોને આ વાતની ખબર પડી. આ પછી પણભીમે દુર્યોધનની જાંઘ તોડી નાખી અને તેને મારી નાખ્યો અને પોતાનું વચન પૂરું કર્યું. દુર્યોધન પરના હુમલાને કારણેશ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ ભીમ પર ખૂબ ગુસ્સે થયા. બલરામે ભીમસેનને ઠપકો આપ્યો અને કહ્યું કે નાભિ નીચે હુમલો કરવો એ ગદા લડાઈના નિયમોની વિરુદ્ધ છે.

બલરામે ભીમને કહ્યું કે આ અધર્મ અને મનમાની છે. ત્યારબાદબલરામે પોતાનો હળ લઈને ભીમસેન પર હુમલો કર્યો. આ જોઈને શ્રીકૃષ્ણે તેને ખૂબ જ બળથી રોક્યો. પછી શ્રીકૃષ્ણે બલરામને સમજાવ્યું કે ક્યારેક પાપી અને અધર્મી માણસ માટે નિયમો તોડવા પડે છેપરંતુ બલરામ આ બધું સાંભળીને પણ સંતુષ્ટ ન થયા અને ગુસ્સામાં પોતાના રથ પર સવાર થઈને દ્વારકા ગયા. ત્યાંદુર્યોધને પણ કુરુક્ષેત્રની ભૂમિ પર પોતાનો જીવ આપી દીધો.

#Mahabharata #Bhim' of 'Mahabharat #મહાભારત કથા #મહાભારત
Latest Stories