બોટાદ : શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાને પવિત્ર શનિવાર નિમિત્તે સૂકા મેવા અને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો...

સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો

New Update
  • કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં શનિવાર નિમિત્તે આયોજન

  • શ્રી હનુમાનજીના સિંહાસનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો

  • હનુમાનજી દાદાને સૂકા મેવા-ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો

  • સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું

  • ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય થયા

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ હનુમાનજી દાદાને સૂકા મેવા અને ડ્રાયફ્રૂટનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ શ્રી કષ્ટભંજન દેવની સૂકા મેવા અને ડ્રાયફ્રૂટનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને બદામપિસ્તાઅંજીરકાજુ અને અન્ય વિવિધ પ્રકારના સૂકા મેવા-ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છેત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી. જોકેપવિત્ર શનિવાર નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. આ તકે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Latest Stories