બોટાદ : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબ, ગલગોટા અને સેવંતીના 200 કિલો ફૂલનો દિવ્ય શણગાર કરાયો...

હનુમાનજી મંદિર ખાતે કારતક માસના બીજા શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ, ગલગોટા અને સેવંતીના 200 કિલો ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો

New Update
  • વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવું સાળંગપુર ધામ

  • કષ્ટભંજન હનુમાનજી મંદિરે કારતક માસ નિમિત્તે ઉજવણી

  • કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસનને ફૂલનો શણગાર

  • ગુલાબગલગોટા અને સેવંતીના ફૂલ શણગાર કરાયો

  • ભગવાનના દિવ્ય શણગાર દર્શન કરી ભાવિકો ધન્ય થયા

 બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે કારતક માસના બીજા શનિવારે દાદાના સિંહાસનને ગુલાબગલગોટા અને સેવંતીના ફૂલ દ્વારા દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કારતક માસના બીજા શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબગલગોટા અને સેવંતીના 200 કિલો ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ધાર્મિક તહેવારો નિમિત્તે વિવિધ ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છેત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કર્યા હતા.

કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. જેના દર્શન કરી હજારો-લાખો ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.