-
કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શનિવારનું વિશેષ મહત્વ
-
કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરાયો
-
દાદાના સિંહાસનને કેસુડાના કેસરી ફુલોનો કેસરીયો શણગાર
-
કષ્ટભંજન દેવને ધાણી-ખજૂર-દાળિયાનો અન્નકૂટ ધરાવાયો
-
ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય થયા
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાના સિંહાસનને કેસુડાના કેસરી ફુલોનો કેસરીયો શણગાર તેમજ ધાણી-ખજૂર-દાળિયાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને કેસુડાના કેસરી ફુલોનો કેસરીયો શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ હનુમાનજી દાદાને ધાણી, ખજૂર અને દાળિયાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે વાર-તહેવારે વિવિધ ચીજવસ્તુઓનો શણગાર કરવામાં આવે છે, ત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી.
જોકે, પવિત્ર ધનુર્માસ નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું, આ તકે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.