/connect-gujarat/media/post_banners/1913a7d669fefd8ef0124ba6725d228a0ab99147220903e16240e2fe31584f82.webp)
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટીના પૂર્વ ચેરમેન ભરત જોશીની ટર્મ પૂરી થઈ જતા નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે.નવા ચેરમેન તરીકે બિરેન પરીખને ડાકોર ટેમ્પલ કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે. બિરેન પરીખ મૂળ અમદાવાદના રહેવાસી છે અને વર્ષ 2014માં બિરેન પરીખની કોર્ટ દ્વારા ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાઈ હતી.નવા ચેરમેનની વરણી થતાં સભ્યો દ્વારા તેમણે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા